- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: CSIR (વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ) દ્વારા પોતાની અંદાજે 40 સંસ્થાઓમાં કરેલા અખિલ ભારતીય સીરોસર્વે અનુસાર ધુમ્રપાન કરતા લોકો અને શાકાહારીઓમાં ઓછી સીરો પોઝિટિવીટી જોવા મળી છે અને એ દર્શાવે છે કે, તેમને કોરોના વાયરસથી સંક્રમિત થવાનું ઓછુ જોખમ રહેલુ છે. સર્વેમાં એવું પણ જાણવા મળ્યુ છે કે, બ્લડ ગ્રુપ ‘O’ વાળા લોકો સંક્રમણ સામે ઓછા સંવેદનશીલ હોય છે. જ્યારે ‘B’ અને ‘AB’ બ્લડ ગ્રુપ વાળા લોકોને વધારે જોખમ ઉભુ થાય છે.
સંશોધનમાં લેબોરેટરીમાં કામ કરતા 10,427 વયસ્ક વ્યક્તિઓ અને તેમના પરિવારના સભ્યોના સ્વૈચ્છિક આધારે નમૂના લેવામાં આવ્યા હતા. IGIB દિલ્હી દ્વારા સંચાલિત સ્ટડીમાં કહેવાયુ છે કે, 10,427 વ્યક્તિઓમાંથી 1,058 (10.14%)માં એસએઆરએસ-સીઓવી-2 પ્રત્યે એન્ટીબોડી હતી.
સંશોધનમાં એવુ પણ જણાવવામાં આવ્યું છે કે, અમારૂ તારણ છે કે ધૂમ્રપાન કરતા લોકોમાં સીરો પોઝિટીવ હોવાની સંભાવના ઓછી છે. સામાન્ય વસ્તીમાં આ પ્રથમ રિપોર્ટ છે અને તેનો પુરાવો છે કે કોવિડ શ્વસન સંબંધિત બિમારી હોવા છતાં તે ધૂમ્રપાનથી બચાવકારી હોય શકે છે. આ સંશોધનમાં ફ્રાન્સના બે સ્ટડી અને ઈટલી, ન્યૂયોર્ક અને ચીનમાંથી આવા પ્રકારના રિપોર્ટનો હવાલો આપવામાં આવ્યો છે. જેમાં ધૂમ્રપાન કરતા લોકોમાં સંક્રમણ ઓછુ જોવા મળ્યુ છે.