- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ કરદાતાઓ માટે એક મોટા રાહતના સમાચાર આવ્યા છે. નાણાંકીય વર્ષ 2019-20નું ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર, 2020 હતી જેને આવકવેરા વિભાગ દ્વારા ફરી લંબાવવામાં આવી છે. આવકવેરા વિભાગદ્વારા આઇટી રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવીને હવે 10 જાન્યુઆરી, 2021 કરવામાં આવી છે.
આવકવેરા વિભાગે આજે બુધવારે કોરોના વાયરસની મહામારીને પગલે નિયમોનું પાલન કરવામાં કરદાતાઓને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. જેમાં વ્યક્તિગત કરદાતાઓ માટે નાણાંકીય વર્ષ 2019-20નું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી, 2021 સુધી લંબાવવામાં આવી છે જે અગાઉ 31મી ડિસેમ્બર, 2020 હતી.
In view of the continued challenges faced by taxpayers in meeting statutory compliances due to outbreak of COVID-19, the Govt further extends the dates for various compliances. Press release on extension of time limits issued today: pic.twitter.com/lMew09HXMq
— Income Tax India (@IncomeTaxIndia) December 30, 2020
ઉપરાંત એવી કંપનીઓ અને કરદાતાઓ જેમને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે ઓડિટ રિપોર્ટની આવશ્યકતા હોય છે તેમની માટે પણ આઇટી રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી દેવામાં આવી છે. જેમાં કંપનીઓ માટે નાણાંકીય વર્ષ 2020-21 માટેનું ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15મી ફેબ્રુઆરી, 2021 સુધી લંબાવવામાં આવી છે.
આવકવેરા વિભાગે એક જાહેર પરિપત્રમાં જણાવ્યુ કે, આંતરરાષ્ટ્રીય / નિર્દેશીત સ્થાનિક લેવડદેવડના સંદર્ભમાં ટેક્સ ઓડિટ રિપોર્ટ અને રિપોર્ટ સહિત વિવિધ ઓડિટ અહેવાલો રજૂ કરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી, 2021 સુધી વધારી દેવામાં આવી છે. તો વિવાદ સે વિશ્વાસ યોજના હેઠળ ઘોષણા કરવા માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2020 હતી જેને હવે 31 જાન્યુઆરી, 2021 સુધી લંબાવી દેવામાં આવી છે.