- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
મુંબઈ : છેલ્લા કેટલાક સમયથી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા અને એસોસિએશન ઓફ મ્યુ. ફંડ ઈન ઈન્ડિયા દ્વારા રોકાણકારોમાં મ્યુ. ફંડમાં રોકાણને લઈને કરવામાં આવેલા કેમ્પેઈનનો પ્રભાવ હવે જોવા મળી રહ્યો છે. તાજેતરમાં મ્યુ. ફંડ સહી હૈનો એડવારટાઈઝ કેમ્પેઈન હાથ ધરવામાં આવ્યો છે. આ કેમ્પેનની મદદ ફાઈનાન્શિયલ એસેટમાં મ્યુ. ફંડનો હિસ્સો ર૦૧૬માં ૧૦ ટકા હતુ જે ર૦૧૮માં વધીને ૧૪ ટકા થયુ છે. મ્યુ.ફંડ ઈન્ડસ્ટ્રી એક દાયકાના સમય પછી મહત્ત્વની સપાટીએ પહોંચ્યો છે અને દેશની જીડીપીમાં પણ અગત્ત્યનો ફાળો આપી રહી છે.
ભારતમાં ૧૯૬પથી મ્યુ. ફંડમાં રોકાણની શરૃઆત કરવામાં આવી હતી પરંતુ હવે ખરેખર મ્યુ. ફંડને રોકાણનો સાધન માનવામાં આવે છે. નોટબંધી પછી મોટાભાગના લોકો મ્યુ. ફંડ ઈન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરવાનું શરૃ કર્યુ છે આ ઉપરાંત એમ્ફી દ્વારા મ્યુ. ફંડ ઈન્ડસ્ટ્રીઝનો કેમ્પેઈન હાથવામાં આવ્યા પછી લોકોમાં જાગૃતા વધી છે.
વ્યક્તિગત રોકાણકારો માટે ઇક્વિટી સૌથી પસંદગીનું સાધન રહ્યું છે અને તેઓનો હિસ્સો 68 ટકાનો રહ્યો છે. જ્યારે આનાથી તદ્દન વિરુદ્ધ સંસ્થાકીય રોકાણ મની માર્કેટ અને ડેટ યોજનાઓમાં 78 ટકાનું જોવાયું છે. આ અંગે એમ્પી ફાઇનાન્શિયલ સર્વિસના એડ્વાઇઝર રસિક ભાયાણીનું કહેવું હતું કે, રોકાણકારો ટૂંકા ગાળા કરતાં લાંબા ગાળાના રોકાણનો વિકલ્પ વધુ પસંદ કરતા હોવાથી તેઓનું ઇક્વિટીમાં એક્સપોઝર વધુ છે, જ્યારે કોર્પોરેટ્સ કે સંસ્થાકીય રોકાણકારો ટૂંકા ગાળાની અવધિનાં સાધનોને વધુ પસંદ કરે છે જેથી તેઓ ટૂંકા ગાળાના પોતાના ગોલને પહોંચી વળે. આને કારણે બન્ને ક્લાસનો રોકાણ અભિગમ જુદો જુદો છે.
ફંડોની એસેટ અન્ડર મેનેજમેન્ટ મે 2019ને અંતે રૂ.25.43 લાખ કરોડની સપાટીએ પહોંચી છે જેમાં છેલ્લા એક વર્ષમાં બે લાખ કરોડનો વધારો જોવાયો છે. મે 2018ને અંતે રૂ.23.48 લાખ કરોડના સ્તરે હતી. તેવી જ રીતે છેલ્લા એક વર્ષમાં ઇક્વિટી સંબધિત યોજનાઓમાં રોકાણની ટકાવારી 41.4 ટકાથી વધીને 41.8 ટકા થઈ છે. છેલ્લા એક વર્ષમાં લિક્વિડ અને મની માર્કેટમાં રોકાણ વધ્યું હતું જે 20.4 ટકાથી વધીને 24 ટકાએ પહોંચ્યું હતું. જ્યારે IL&FSની ક્રાઇસિસને કારણે ડેટ સંબધિત યોજનામાં રોકાણ 34.5 ટકાથી ઘટીને 28.8 ટકાના સ્તરે આવ્યું હતું.
ક્રૂડના ભાવ વધવા, રૂપિયામાં ઘસારો, વૈશ્વિક પડકારજનક સ્થિતિ અને શેરબજારની ચંચળતા વચ્ચે પણ રોકાણકારોનું ઇક્વિટીમાં એક્સપોઝર જળવાયું છે. જેનું મુખ્ય કારણ SIP છે એમ જણાવીને JSK સિક્યોરિટીઝના MD સુરેશ જૈન ઉમેરે છે કે, દેશમાં ગયા મહિને ચૂંટણીનો માહોલ રહેવા છતાં SIPથી રૂ.8,200 કરોડનું રોકાણ થયું હતું અને તે આગલા મહિનાની આસપાસ જ હતું. આમ સરેરાશ રોકાણ છેલ્લા કેટલાક મહિનાથી રૂ.8,000 કરોડથી વધુ નોંધાયું છે જે સૂચવે છે કે ઇન્વેસ્ટરોએ મ્યુચ્યુઅલ ફંડને લાંબા ગાળાના રોકાણ સાધન તરીકે સ્વીકારી લીધું છે.
છેલ્લાં બે વર્ષમાં SIP સરેરાશ રોકાણ બમણું થયું છે. બિયોન્ડ 20 ગણાતાં શહેરોને બાદ કરતાં ફંડોમાં નાનાં અને મધ્યમ શહેરોનો રોકાણનો હિસ્સો વધ્યો છે. એનો સીધો અર્થ થયો કે મોટાં શહેરોને બાદ કરતાં હવે ફંડોમાં રોકાણનો વ્યાપ પણ વિસ્તર્યો છે એમ તેમનું માનવું હતું. સેબીએ ઇન્ડસ્ટ્રીઝમાં પારદર્શકતા લાવવા માટે તાજેતરમાં જ ધોરણોને વધુ કડક કરવાની સાથે એક સમાન રોકાણ અભિગમ ધરાવતી યોજનાઓને મર્જ કરવાનો આદેશ આપ્યો હતો. સેબીએ TERને નીચે લાવી તો AUMનો સ્લેબ પણ બદલી નાંખ્યો હતો. આને કારણે રોકાણકારોનો ખર્ચ ઘટ્યો હતો અને વળતરમાં પણ વધારો થયો હતો. અગાઉ કરતાં ફંડોમાં રોકાણ કરવું પણ વધુ સરળ બન્યું છે તો સામે ઓનલાઇન રિડેમ્પશનની પણ સુવિધા ઊભી કરી હતી. આ બધા પ્રયાસને કારણે ફંડોનો વ્યાપ વધારવામાં મદદ મળી હતી.
ચાલુ કેલેન્ડર વર્ષ દરમિયાન ફંડોમાં SIPથી રોકાણ સરેરાશ રૂ.8,126નું રહ્યું છે જે ગયા કેલેન્ડર વર્ષમાં રૂ.7,400 જેવું હતું. આમ છેલ્લાં બે વર્ષમાં SIPથી થયેલા રોકાણની ટિકિટ સાઇઝ જોઈએ તો તે લગભગ બમણી થઈ છે. ગયા વર્ષની સામે પણ લગભગ રૂ.625ની વૃદ્ધિ થઈ હોવાનું કહી શકાય. એમ્ફી પાસેથી પ્રાપ્ત ડેટા અનુસાર સળંગ છેલ્લા છ મહિનાથી રૂ.8,000થી વધુનું SIPથી રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં આવ્યું છે.